અરવલ્લીના લાંક પાસે પેસેન્જર ભરેલી રીક્ષા કેનાલમાં ખાબકતાં મુસાફરોએ જીવ બચાવવા ચિચિયારીઓ મચાવી દીધી હતી.દુખની વાત એ છે કે ઘટનાના 7 કલાક બાદ કોઇપણ બચાવ કામગીરી હાથ ધરાઈ ન હતી.એક પણ વ્યક્તિને બહાર ન કાઢી શકાતા તેનાલ પર હાજર ટોળાએ હોબાળો મચાવ્યો હતો.
જેના માથે બચાવ કામગીરીની જવાબદારી છે તેવા ફાયરવિભાગના કર્મચારીઓ પણ ઘટનાસ્થળ છોડીને ભાગી ગયા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
એટલું જ નહીં મામલતદાર સહિત તમામ અધિકારીઓ ઘટનાસ્થળેથી લોકોના હોબાળાના કારણે ભાગી ગયા હતા.જો કે ઘટનાની જાણ થતાં બાયડના ધારાસભ્ય નવલસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.