આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ તરફથી ધવલસિંહ ઝાલા અને ભાજપ તરફ થી અદેસિંહ ચૌહાણનુ નામ જાહેર કરવામાં આવ્યુ.
કોંગ્રેસ દ્વારા ધવલસિંહ ઝાલાનુ નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસથી નિરાશ થયેલા કોંગ્રેસના નેતા માનવેદ્રસિંહ સોલંકીએ પાર્ટીમાંથી રાજીનામુ આપવા માટે કહ્યુ અને તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી પણ નોંધાવી હતી.
આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.. આ દરમિયાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા અને ત્રણેય ઉમેદવારોએ ચૂંટણીમાં જીતવાની આશા વ્યક્ત કરી હતી.