અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે.
વાદળછાયા વાતાવરણમાં માવઠાની શકયતાને લઇને ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. એક બાજુ ભર શિયાળો ચાલી રહ્યો છે એમાં જો માવઠું થાય તો શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે. જેને લઇને ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે.
નોંધનીય છે કે હાલમાં રાજ્યભરમાં ડબસ સિઝનનો માહોલ છે. સવારે ગરમીનો અનુભવ થાય છે તો રાત પડતાં ઠંડક અનુભવાય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આજ સવારથી જ વાતાવરણમાં ફેરફાર થયો છે.