મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. તો આ વખતે જેતે શહેરની કે ગ્રામ્ય વિસ્તારની પ્રજા દ્વારા પણ જે તે પક્ષ પ્રત્યે અસંતોષને લઇને તે પક્ષનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણાના પરા વિસ્તારની પ્રજામાં ભાજપ સામે નારાજગી હોય આ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
આ પોસ્ટરોમાં ભાજપ સામે કલમ 144 લાગુ કરાઇ હોવાનું દર્શાવાયુ છે અને ભાજપના કોઇ પણ નેતાએ અહિ પ્રવેશ કરવો નહી તેવો ઉલ્લેખ પોસ્ટરોમાં કરાયો છે. નોંધનીય છે કે મહેસાણા પરા વિસ્તારએ પાટીદારોનો ગઢ છે અને પાટીદારોમાં અનામતની માંગ ન સ્વીકારાવાનો તેમજ પોલીસ દ્વારા પાટીદારો પર કરાયેલા દમનને પગલે સત્તાધારી ભાજપ પક્ષ પ્રત્યે રોષ છે.