અમ્બાલા : ઐતિહાસિક ધરોહર તાજ મહેલનાં ઇતિહાસ અંગે સવાલ ઉઠાવવાની જાણે ફેશન થઇ ચુકી છે. ગત્ત દિવસોમાં યુપીનાં ભાજપ ધારાસભ્ય સંગીત સોમ તાજને ભારતીય સંસ્કૃતી પર ધબ્બો ગણાવી ચુક્યા છે. હવે હરિયાણાનાં મંત્રી અનિલ વિજે તાજને માત્ર સુંદર કબ્રસ્તાન ગણાવ્યું છે. ભાજપ નેતા વિનય કટિયારે તેને હિન્દૂ મંદિર ઉપર બનાવવામાં આવેલું હોવાનો દાવો કરી ચુક્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમ પાસે આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી. ત્યારે યોગીએ કહ્યું કે તે મહત્વનું નથી કે તેને કોણે અને કેમ બનાવ્યો હતો પરંતુ તે ભારત માતાનાં સપૂતોનાં લોહી અને પરસેવાથી બનેલો છે.
હરિયાણાનાં હેલ્થ મિનિસ્ટર અનિલ વિજે શુક્રવારે ટ્વીટ કર્યું તાજ મહેલ એક સુંદર કબ્રસ્તાન છે. જો કે આ એક કબ્રસ્તાન છે માટે લોકો તાજ મહેલનાં મોડેલને ઘરમાં રાખવાને અપશુકન માને છે. બિલ્ડિંગને ઘણુ સારૂ છે પરંતુ તેમાં માત્ર કબરો જ છે.