તાજેતરમાં થયેલ એક અભ્યાસ મુજબ ગુસ્સો કરવો એ સારી બાબત છે. જે લોકો ગુસ્સા પર રોક લગાવતા હોય તે લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. કારણકે ગુસ્સો રોકવાથી અંદરોઅંદર તમે ઉકળ્યા જ કરતા હોવ છો. જેના કારણે સ્ટ્રેસ લેવલ વધી જાય છે. જો કે આ વિષય પર કેટલાક લોકો પર સંશોધન કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં થયેલ આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો વાદવિવાદથી બચવા માટે મૌન રહેવાનું પસંદ કર્યું હતું તેમનામાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિજોલના સ્તરમાં અસામાન્ય ઉતાચ-ચઢાવ જોવા મળ્યો હતો. જ્યારે જે લોકોએ ગુસ્સો પ્રગટ કર્યો અને પરિસ્થિતિનો સામનો કર્યો તેઓ વધુ રિલેક્સ અને ખુશ હતા. તેવી વાત આ સંશોધનમાં ધ્યાને આવ્યુ હતું.
એક વિદેશી યુનિવર્સિટીમાં થયેલ આ રીસર્ચમાં સાબિત થયું કે જો કોઈને સાથે મતભેદ થાય અને વિવાદથી બચવા માટે તમે ગુસ્સા પર કાબૂ મેળવી લો છો તો તે નુકસાનકર્તા છે. ગુસ્સો વ્યક્ત કરવાથી સેન્સ ઓફ કંટ્રોલ એ ઓપ્ટિમિઝમનો ભાવ આવે છે.
ક્યારેક એવુ બને છે કે કોઇ કારણોસર જે-તે વ્યક્તિ સાથે મતભેદ ના વધે તે માટે થઇને તમે તમારા ગુસ્સા પર કાબુ કરતા હોવ ત્યારે તે બાબત તમારા માનસિક તણાવને વધારે છે.
વાદ-વિવાદોમા પડતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે તમારા ગુસ્સાને કારણે નારાજ થઇને તે વ્યક્તિ તમારાથી નારાજ ના થઇ જાય નહીંતર ક્યારેક અમુક કિસ્સામાં એવુ બનતું હોય છે કે તમારા અને જે-તે વ્યક્તિ વચ્ચેના સંબંધો પર કાયમમાટે પુર્ણવિરામના લાગે.