ગાંધીનગર:પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.ત્યારે હવે આનંદીબહેન પટેલ રાજભવન પહોંચ્યા છે.આનંદીબહેન રાજ્યપાલ ઓ.પી.કોહલીને મળવા માટે રાજભવન પહોંચ્યા છે. મધ્યપ્રદેશની વર્તમાન સ્થિતિ મુદ્દ ચર્ચા કરવા માટે આનંદીબહેન રાજભવન પહોંચ્યા છે.
ત્યારે હવે આનંદીબહેન નિમણૂકને લઈને ખુશી વ્યકત કરી છે.તેમણે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો છે.પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.અને તેમણે કહ્યુ છે કે આ બંધારણીય જવાબદારી છે.અને સોંપાયેલી જવાબદારી સારી રીતે નિભાવવાનું જણાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે આનંદી બહેન પટેલ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે અને પક્ષમાં તે વજનદાર શખ્સિયત પણ ધરાવે છે ત્યારે ગત મોડી સાંજે રાષ્ટ્રપતિએ આનંદીબેનને મધ્યપ્રદેશના ગર્વનરનો ચાર્જ આપ્યો હતો.
કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી મોદીની નજીકના બીજા દિગ્ગજ નેતાને રાજ્યપાલ બનાવાયા છે. આ પહેલા વજુભાઇ વાળાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી સીધા કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા. આ મેસેજ મળતા જ બેનના પરિવારજનોમાં ખુશીનું મોજૂ ફરી વળ્યુ હતુ.