ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરાયા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા કમલમ્ ખાતે અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેનની રાજ્યપાલ તરીકે પસંદગી થતાં તેમને અભિનંદન પાઠવ્યા હતા. કમલમ ખાતે બેનનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્તવનું છે આનંદીબેન 23મીએ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ચાર્જ સંભાળવાના છે.