આણંદના બોરસદ તાલુકામાં રેલ રોકો આંદોલન શરૂ થયું છે. બોરસદના અમિયાદ ગામમાં ખેતરમાં જવાના માર્ગ પર ફાટક બંધ કરી દેવાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
જેના કારણે ખેડૂતોએ રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે કલેક્ટર દ્વારા ફાટક ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
છતાં રેલવે વિભાગે પ્રશ્ન હલ ન કરતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોએ રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેને પગલે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
રેલવે વિભાગ દ્વારા વડોદરા કઠાણાં લાઈન પર આવેલ માનવ રહિત ફટકો વર્ષ 2012 માં બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગ રૂપે અમીયાદ ગામ સિમ માં આવેલ ફાટક નંબર 44 પણ બંધ કરવામાં આવ્યું હતું આ ફાટક ના બીજા છેડે અમીયાદ ની 500 વીંઘા જમીન આવેલ હોય ખેડૂતો આ ફાટક નો ઉપીયોગ કરી પોતાના ખેતરો માં જતા હતા પરંતુ આ ફાટક બંધ ગામના ખેડૂતો કરતા ખેડૂતોને પોતાના ખેતરો માં જવા નો રસ્તો સદંતર બંધ થઇ જતા રેલ વિભાગ ને ફાટક ખોલવા અરજ કરી હતી.
જિલ્લા કલેક્ટરે પણ અમીયાદ ના લોકો ની સમસ્યા નું સમાધાન કરાવવું સ્થળ ચકાસણી કરી ફાટક નંબર 44 ખોલવા રેલ વિભાગ ને સ્પષ્ટ અભિપ્રાય છતાં રેલ વિભાગ દ્વારા ફાટક નહિ ખોલતા આજે ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો.
અને તંત્ર ને લેખિત માં આપી આજે રેલ રોકો આંદોલન નો મૂળ બનાવ્યો હતો જોકે રેલ વિભાગ સફાળુ જાગ્યું હતું અને પોલીસ ને ખડકી દેવામાં આવી હતી જેને લઇ રેલરોકો આંદોલન સફળ થયું નહતું ગામ લોકો એ રેલ વિભાગ ને વધુ 15 દિવસ ની ફાટક ખોલવા મહેતલ આપી છે.
જો રેલ વિભાગ 15 દિવસ ની અંદર ફાટક નહિ ખોલે તો આ વખતે જલદ આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે ત્યારે જોવું રહ્યું રેલ વિભાગ ખેડૂતો ની મુશ્કેલી દૂર કરે છે કે પછી પોતાનું અક્ક્ડ વલણ જારી રાખે છે.
ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ખેતર સુધી જતો માર્ગ બંધ
ફાટક બંધ કરતા ખેડૂતોમાં રોષ
ફાટક ખોલવા કલેક્ટરનો આદેશ
ફાટક ન ખોલતા બિચક્યો મામલો