ઘણા લોકો એવું વિચારીને ઘી નું સેવન નથી કરતાં કારણ કે તેમને લાગે છે કે ઘી ખાવાથી તેમના સ્વાસ્થ્યને મોટું નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોને લાગે છે કે ઘી ખાવાથી તેમનું વજન વધી જશે. હકીકતે આવું માનવું બિલકુલ ખોટું છે. જો યોગ્ય પ્રમાણમાં ઘી નું સેવન કરવામાં આવે તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ થઇ શકે છે. ઉપરાંત તમે વહેલી સવારે ભૂખ્યા પેટે ઘી નું સેવન કરશો તો તમારા આરોગ્યને બમણો લાભ પહોંચાડી શકે છે.
જો તમે સવારે ખાલી પેટે ઘી નું સેવન કરશો તો તમારા બોડી સેલ્સ ફરી એક વખત જીવીત થઇ જશે. જેનાથી તમારી સ્કીનમાં કુદરતી નિખાર આવશે અને સ્કીન સ્વસ્થ થઇ જશે. ખાલી પેટે ઘી નું સેવન કરવાથી સ્કીનમાં નમી આવશે જેનાથી સ્કીન ડ્રાય નહીં થાય.
સાંધાના દુખાવામાં પણ ભૂખ્યા પેટે ઘી ખાવાથી ઘણો આરામ મળે છે. ઘી માં પ્રાકૃતિક રૂપે લુબ્રિકેન્ટ હોય છે આ ઉપરાંત ઘી માં ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે.