સુરતના બારડોલીના ઉના માણેકપોર નજીક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બસ ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. 12થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. આ અકસ્માત બસ સાથે ટ્રક અથડાતા થયો છે. ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ મહારાષ્ટ્રની હતી જે અહમદનગરથી સુરત જતી હતી તે સમયે આ અકસ્માત નડયો છે.
સુરત: બારડોલીના ઉના માણેકપોર નજીક અકસ્માત
અહમદનગરથી સુરત જતી મહારાષ્ટ્રની બસને નડ્યો અકસ્માત
ટ્રકની પાછળ થી બસ અથડાતા બસ ચાલકનું ઘટના સ્થળે મોત