ગુજરાત ગૌરવયાત્રાને ઠેર ઠેર પાટીદારોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિલસિલો આગળ વધતાં અમરેલી અને સાવરકુંડલા પણ ભાજપની ગુજરાત ગૌરવયાત્રાનો વિરોધ કરાયો હતો.
સાવરકુંડલામાં પાટીદાર મહિલાઓ દ્વારા ગૌરવયાત્રાનો વિરોધ કરાયો હતો. નેસડી ગામેથી યાત્રા નીકળી ત્યારે પાટીદાર મહિલાઓએ જય સરદાર જય પાટીદારનો સુત્રોચ્ચાર કર્યો હતો. વિરોધને પગલે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. નેસડી ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.