અમરેલીના બાબરાની ગેલાણી શાળાના આચાર્ય સહિત 3 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાતાં શિક્ષણતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
બાબરાના ગેલાણી શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકે દલિત વિદ્યાર્થીને જાતિ વાચક શબ્દો કહી અપમાનિત કરી મારમાર્યો હોવાની વિદ્યાર્થીના વાલીએ કરી છે.
શિક્ષકે વિદ્યાર્થીને માર મારતાં વિદ્યાર્થીને બાબરા ખાતેની હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે આ બાબતે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે અમરેલી ખાતે આવેલ ગેલાણી શાળાના આચાર્ય અને 3 શિક્ષકોએ એક દલિત વિદ્યાર્થીમાટે જાતિવાચક શબ્દનો ઉપયોગ કરીને તેને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા વાલી શાળાએ દોડી આવ્યા હતા અને તે વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી નજીકના સારવાર કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
જો કે ત્યાર બાદ બાળકના વાલીએ શાળાના આચાર્ય અને 3 શિક્ષકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જો કે એટ્રોસિટીની ફરિયાદ શિક્ષકો સામે નોંધાતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.