સદીના મહાનાયાક અને બોલિવુડના શહંશાહ અમિતાભ બચ્ચન ગત અઠવાડિયે કાર દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયા હતા. આ દુર્ધટના તેમની મર્સિડિઝ કારનું પાછળનું વ્હીલ નીકળી જવાને કારણે ઘટી હતી. આ મામલામાં રાજ્ય સરકારે આ ઘટનાને લઇને ટ્રાવેલ એજન્સીના 'કારણ બતાઓ' નોટિસ આપવામાં આવી છેજ્યાંથી કારને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી છે કે કાર ઉપલબ્ધ કરાવનાર ટ્રાવેલ એજન્સીને સરકારે 'કારણ બતાઓ' નોટિસ જાહેર કરી છે. તમને જણાવી દઇએ કેઅમિતાભ બચ્ચન 23માં કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે રાજ્ય સરકારના ઇન્વિટેશન પર આવ્યા હતા અને શનિવારે એરપોર્ટ જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યુ કેજ્યારે શનિવારે સવારે અમિતાભ બચ્ચન મુંબઇ જવા માટે એરપોર્ટ જઇ રહ્યા હતાત્યારે ડુફ્ફેરિન રોડ પર કારનો પાછળનું વ્હીલ અલગ થઇ ગયું હતુ. જેના કારણે કાર કંટ્રોલ ગુમાવી દીધો હતો. તેમણે કહ્યુ કેકાર એક ટ્રાવેલ એજન્સીએ ઉપલબ્ધ કરાવી હતી. આ ઘટનાને લઇને 'કારણ બતાઓ' નોટિસ આપવામાં આવી છે.