અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મહેસાણાની મુલાકાતે છે...અમિત શાહે અહીં વાળીનાથ મંદિરના એક કાર્યક્રમમાં હાજરી આપી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી.
કાર્યક્રમ દરમિયાન અમિત શાહે સંબોધન આપતાં કહ્યું કે રબારીઓએ પાઘડી પહેરાવી છે..અને તેને ટકાવવાની જવાબદારી પણ રબારી સમાજની છે.સાથે જ અમિત શાહે જણાવ્યું કે ભાજપે યાત્રાધામનો વિકાસ કર્યો છે એમાં કોઈ જ નવાઈ નથી .સૌથી મોટું કામ દરેક સમાજનો વિકાસ છે.અને ભાજપની સામાં દરેક સમાજનો વિકાસ થયો છે.
ગુજરાતમાં નરેદ્ર મોદીની સરકારે વિકાસની શરૂઆત કરી છે.આજે સમગ્ર વિશ્વએ નરેદ્ર મોદીને સ્વીકાર્યા છે...જેથી સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર પણ સાર્થક થયું છે.