અમેઠી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ભાજપને ટાર્ગેટ બનાવી રહ્યા છે. તો બીજી બાજુ ભાજપ નેતાઓએ રાહુલને એમના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં જઇને ઘેરાવો કર્યો છે. અહીંયા એક જનસભાને સંબોધિત કરવા પહોંચેલા અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી પીએમ મોદી સાથે 3 વર્ષનો હિસાબ પૂછે છે અને અમેઠીની 3 પેઢીઓ એમની સાથે હિસાબ માંગે છે. ગુજરાતમાં જનતાએ વિકાસ જોયો છે રાહુલ બાબા તમે જણાવો તમે અમેઠીનો શું વિકાસ કર્યો છે.
પોતાના સંબોધન પહેલા અમિત શાહે પાર્ટીના 'મિશન અમેઠી' નો મોર્ચો સંભાળી લીધો. ગૌરીગંજના મેદાનમાં બનેલા સ્ટેજ પર એમને દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશની સરકારની અમેઠી પર વિશેષ નજર છે. આ વીઆઇપી ક્ષેત્ર હોવા છતાં આટલો પછાત છે આ ખૂબ જ શરમજનક છે. એમણે કહ્યું કે સરકાર ઉત્તર પ્રદેશના દરેક ખૂણને પ્રતિબદ્ધતાની સાથે વિકાસ કરશે. પ્રદેશ સરકાર દરેક નાગરિકના વિકાસ માટે પૂરી પ્રતિબદ્ધતાની સાથે કાર્ય કરશે. અમેઠીનો વિકાસ ભાજપ સરકારમં થઇ રહ્યો છે. અમારી સરકાર ખેડૂતો માટે કાર્ય કરી રહી છે. પીએમના માર્ગદર્શનમાં અમારી સરકાર જનતાના હિતો માટે કાર્ય કરી રહી છે. ભાજપના વિકાસના માર્ગ પર ચાલી રહી છે પીએમ મોદીએ દેશનું ગૌરવ વધાર્યું છે.
કોંગ્રેસ ગઢ અમેઠીમાં ભાજપના તમામ દિગ્ગજોએ આજે મોર્ચો સંભાળી લીધો છે. આ અવરસરે સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે હું અમેઠીમાં ભાજપની એક પ્રતિનિધિ બનીને આવી પરંતુ આજે અમેઠીની દીદી બની ગઇ છું. આ મારું સૌભાગ્ય છે. એમણે કહ્યું કે કેન્દ્રની સરકાર વિકાસની બાબતે જરા પણ ભેદભાવ કરતી નથી. વિકાસની બાબતે અહીંયા રાજકારણ થતું નથી. અમેઠીમાં જે સાત વર્ષમાં ના થઇ શક્યું એ ભાજપે છ મહિનામાં કરીને દેખાડ્યું.
એમણે કહ્યું કે અમેઠીના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતમાં જઇને ત્યાં વિકાસ નહીં થયો હોવાની વાત કરી રહ્યા છે એમને પોતાના અમેઠીમાં વિકાસનું કોઇ કામ યાદ આવી રહ્યું નથી. પરંતુ સત્ય એ છે કે એમણે અહીંયા કોઇ કામ કર્યું નથી.