પીપળામાં અનેક સ્વાસ્થ્ય વર્ધક ગુણો રહેલા છે. આ વૃક્ષ એકમાત્ર એનું વૃક્ષ છે જે આપણને 24 કલાક ઓક્સિજન આપે છે. પીપળાના પાનનો પ્રયોગ અનકેક આયુર્વેદિક દવા બનાવવામાં થાય છે. આ ઉપરાંત હૃદયરોગ દૂર કરવામાં પણ પીપળાના પાન ખૂબ જ ઉપયોગી છે.
હૃદય રોગ માટે:
પીપળાના 15 તાજા પાન લઇને એક ગ્લાસ પાણીમાં વ્યવસ્થિત રીતે ઉકાળો. પાણી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનો ત્રીજો ભાગ જ બચે. હવે તેને ઠંડું કરીને ગાળી લો. આ પ્રવાહીને 3 ભાગમાં વહેંચી લો. સવારના ભાગમાં 3 કલાક બાદ આ પ્રવાહી લો. આમ કરવથી હૃદય રોગ સંબંધી રોગોનો ખતરો ઓછો થઇ જાય છે.
શ્વાસ અને દમ માટે:
દમના રોગી માટે પીપળાનું વૃક્ષ એક દવાનું કામ કરે છે. આ માટે પીપળાના થડની છાલના અંદરના ભાગને કાઢી સૂકવી દો. તે સૂકાઇ જાય પછી તેનું બારીક ચૂર્ણ બનાવી લો અને દર્દીઓ આ ચૂર્ણ પાણી સાથે પી લો..
આખંના પિયા માટે:
ઘણા લોકો સવારે ઉઠે ત્યારે તેમને આંખમાં ઘણા વધારે પિયા આવતા હોય છે. પીપળાના પાનનો રસ આખંમાં નાખવાથી પિયા આવતા ઓછા થઇ જશે.
ઉધરસ-ખાંસી માટે:
બેવડી ઋતુ વખતે થતી શરદી. ખાંસી અને ઉધરસને દૂર કરવા માટે પીપળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રયોગ માટે પીપળાના પાંચ પાંદડા દૂધ સાથે સારી રીતે ઉકાળી લો. તેમાં ખાંડ નાખી સવાર-સાંજ પીઓખાંસી-ઉધરસમાં ચોક્કસથી આરામ મળશે.
દાંત માટે:
દાંતની મજબૂતી અને સફેદી માટે પીપળાનાં દાંતણનો ઉપયોગ કરવામાં આવે છે. પીપળાના દાંતણતી દાંતનું દર્દ દૂર થાય છે. પીપળાની 10 ગ્રામ છાલ 2 ગ્રામ કળી મરીને બારીક પીસીને મંજન બનાવી દાંત સાફ કરોદાંતની તમામ સમસ્યાઓમાં રાહત મળશે.