ભગવાન ગણપતિને વિધ્નહર્તા દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઇપણ પ્રકારના કાર્યની શરૂઆત પહેલા ભગવાન ગણેશનું ખાસ સ્મરણ કરવામાં આવે છે.
પરતું આપણાં વાસ્તુશાસ્ત્ર અનુસાર ગણપતિની ચોક્કસ પ્રકારની મુર્તિનું ઘરમાં જો સ્થાપન કરવામાં આવે તો તેનાથી તમામ પ્રકારની તકલીફ દુર થાય છે.
- ઘરનાં મુખ્ય દરવાજા પર ભગવાન ગણપતિની મુર્તિ રાખવામાં આવે છે. પરંતુ ખાસ કરીને આ સ્થળ પર જો કેરી પીપળો અને લીમડાથી બનેલા ગણપતિની મુર્તિ ઘરના દરવાજા પર જો રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- રવિવાર અથવા પુષ્ય નક્ષત્રમાં શ્વેતાર્ક ગણપતિની મુર્તિ ઘરે લાવી તેની નિયમિત પુજા કરવાથી
ઘરમાં સુખ-સમૃધ્ધિ બની રહે છે.
- ક્રિસ્ટલના ગણપતિની મુર્તિને વાસ્તુદોષ દુર કરવામાં અતિ ઉપયોગી છે. ગણેશજી સાથે ક્રિસ્ટલની લક્ષ્મીની પુજા ધન અને સૌભાગ્ય લાવે છે.
- હળદરમાંથી બનાવેલી મુર્તિ રાખવાથી પરિવારમાં સુખ-શાંતિ બનેલી છે.