મોદી સરકારે આધારકાર્ડને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બધી જ બેંકોએ પોતાના ગ્રાહકને આધારકાર્ડ એનરોલમેન્ટ અને અપડેટની સુવિધા આપવી પડશે 31 ડિસેમ્બર સુધીમાં બેંકે તમામ ખાતાઓને આધારકાર્ડ સાથે લિંક કરાવાનું કહેવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું કે જો બેક ખાતાને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહી આવે તો તે ચાલુ નહી રહી શકે. આનો મતલબ એ થયો કે એચડીએફસી આઈસીઆઈસીઆઈ કોટક એક્સિસ જેવી પ્રાઈવેટ બેંકોએ પણ તેમના તમામ ગ્રાહકોને આધારકાર્ડ એનરોલમેન્ટ અને અપડેટની સુવિધા આપવી પડશે.
અત્યાર સુધીમાં માત્ર સરકારી બેંકો જ UIDAI રજીસ્ટ્ર થઈ શકતા હતા. UIDAIએ હવે આધાર રેગ્યુલેશન 2016માં પણ સંશોધન કર્યું છે. જેના કારણે શેડ્યુઅલ બેંકો UIDAI રજીસ્ટર થઈ શકશે અને તેમની પાસે પણ આધારકાર્ડ એનરોલમેન્ટનો અધિકાર હશે. આધાર રેગ્યુલેશનમાં અત્યાર સુધીમાં એવો નિયમ હતો કે કોઈ કેન્દ્રીય કે રાજ્ય સરકારનો કોઈ ડિપાર્ટમેન્ટ અથવા એજન્સીઓ જ આધારકાર્ડ એનરોલમેન્ટની સર્વિસ આપી શકતી હતી. આ અધિકાર સબસિડી બેનિફિટ અથવા કોઈ સર્વિસ માટે આપવામાં આવ્યો હતો.
1 જુલાઈના જાહેરનામામાં સરકારે વેરિફિકેશન બાદ તમામ બેંકના ખાતાઓને આધારકાર્ડ સાથે લિંક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ જાહેરનામાને રજૂ કરવા માટે સરકારે પ્રવેંશન ઓફ મની લોન્ડીંગ એક્ટમાં પણ સંશોધન કર્યું છે. સરકારે બેંકોને પોતાના તમામ ખાતાઓને આધાર સાથે લિંક કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
થોડા સમય પહેલા જ બેંકોએ નવું ખાતુ ખોલાવવા માટે આધારકાર્ડ ફરજીયાત કર્યું છે. UIDAIના સીઈઓ અજય ભૂષણના જણાવ્યા અનુસાર હાલના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી લોકોને બેંક ખાતાઓને આધારકાર્ડ સાથે લિંક કરાવવામાં કોઈ તકલીફ ના પડે. નવા નિયમ પ્રમાણે તમામ બેંકોએ પોતાના ગ્રાહકોને આદારકાર્ડ એનરોલમેન્ટની સુવિધા આપવી પડશે જેમની પાસે આધઝારકાર્ડ નથી જેથી ગ્રાહકોએ આધારકાર્ડ માટે એનરોલમેન્ટની ઓફિસના ધક્કાઓ ના ખાવા પડે.