લખનૌઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મીડિયા સાથે વાતચીત કરી. અને તેમણે કહ્યું છે કે જો કોંગ્રેસ ઇચ્છે તો ભાજપ વિરૂદ્ધ ગુજરાત ચૂંટણીમાં પણ મિત્રતા જળવાઇ શકે છે. અખિલેશે કહ્યું કે જો તેમણે આમંત્રણ આપવામાં આવશે તો તેઓ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર કરવા પણ તૈયાર છે.
ગુજરાતમાં સપા પ્રદેશ અધ્યક્ષને જ ચૂંટણી સંબંધિત નિર્ણય લેવાની અખિલેશે જવાબદારી સોંપી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. અને ત્યારબાદ રાહુલ અને અખિલેશે સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. જો કે ઉત્તર પ્રદેશમાં મોદીનો જાદૂ ચાલી ગયો. અને ભાજપને સત્તા મળી.