રિલાયન્સ જિયોને આવ્યા પછી બાકીની દિગ્ગજ ટેલિકૉમ કંપની વચ્ચે ટક્કર ચાલી રહી છે. જિયોની ઑફર્સ પછી આઇડિયા એરટેલ વોડાફોન અને BSNL સતત પોતાના યૂઝર્સને આકર્ષિત કરવા માટે નવી-નવી ઑફર્સ લોન્ચ કરી રહી છે પરંતુ એક એવી કંપની છે તે 6 સર્કલોમાં પોતાની સેવા બંધ કરવા જઇ રહી છે અને તે કંપની એટલે Aircel
ટેલિકૉમ ઑપરેટર Aircel ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિત 6 સર્કલોમાં 30 જાન્યુઆરીથી પોતાની સેવા બંધ કરી દેશે. એવાંમાં જો તમે આ કંપનીના યૂઝર્સ છો તો તમારી પાસે માત્ર ગણતરીના દિવસોમાં બીજી કંપનીમાં પોતાનો નંબર પોર્ટ કરાવી લેવો જોઇએ. જો તમે આ નહી કરો તો થોડા દિવસો પછી તમારો નંબર બંધ થઇ જશે. થોડા સમય પહેલા જ TRAIએ કંપનીને આદેશ આપ્યો હતો કે સબ્સક્રાઇબર્સને બીજા નેટવર્કમાં શિફ્ટ થવા માટે મદદ કરે.
ગ્રાહકોને મોકલવામાં આવી રહ્યા છે પોર્ટિંગ કોડ:
ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) એ Aircelને આદેશ આપ્યો છે કે તમામ ગ્રાહકોને પોર્ટિંગ કોડ મોકલવામાં આવે. આ કોડની મદદથી સબ્સક્રાઇબર્સ બીજા નેટવર્ક પર શિફ્ટ થઇ શકે. 20 માર્ચ 2018 સુધી Aircelને તમામ ગ્રાહકોની લિસ્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ છે જે બીજા નેટવર્ક પર શિફ્ટ ન થયાં હોય અથવા તો પોતાના એકાઉન્ટનો પૂરા બેલેન્સનો ઉપયોગ ન કરી શકતા હોય.
10 માર્ચ સુધી બીજું નેટવર્કમાં કરી શકાશે પોર્ટ:
TRAIએ તમામ ટેલિકૉમ ઑપરેટર્સને આદેશ આપ્યો છે કે Aircelનમા સબ્સક્રાઇબર્સને રિકવેસ્ટ 10 માર્ચ 2018 સુધી એક્સેપ્ટ કરે.
એવામાં જો યૂઝર પાસે બીજી કંપનીના નેટવર્ક પર શિફ્ટ થવા માટે 10 માર્ચ સુધીનો સમય છે. એટલે કે જો પોર્ટિંગ કોડ યૂઝરને મોકલવામાં આવી રહ્યા છે તો તેનો ઉપયોગ તેઓ 10 માર્ચના રાત્રે 12 વાગ્યા સુધી કરી શકશે.