અમદાવાદ:પક્ષી અભ્યારણ્ય નળ સરોવર ખાતે બે દિવસ પક્ષી ગણતરીનું આયોજન ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષી ગણતરી માટે નળ સરોવરને 50 ઝોનમાં વહેચવામાં આવ્યું હતું.પક્ષી ગણતરી માટે 100 જેટલા નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
આ નિષ્ણાતોમાં પક્ષી પ્રેમી અને પક્ષીઓ પર કામ કરતા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.જો કે આ વર્ષની પક્ષી ગણતરી પૂર્ણ કરી દેવામાં આવી છે.ગત વર્ષે ગણતરી દરમિયાન પક્ષીઓની 20 વધુ જાતિ નોંધાયી હતી અને કુલ 3 લાખ જેટલા પક્ષીઓ નોધાયા હતા.
ઉલ્લેખનીય છે કે 12000 હેક્ટરમાં પથરાયેલા નળ સરોવરમાં લાખોની સંખ્યામાં દેશ અને વિદેશથી પક્ષીઓ આવે છે.પક્ષીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.કારણે કે ફોરેસ્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે અહીં સ્ટાફની ફાળવણી કરવામાં આવી નથી.
નળ સરોવર ખાતે 1 RFO ફરજ બજાવે છે. આ ઉપરાંત મહેકમ પ્રમાણે ફોરેસ્ટરની 4 જગ્યા છે જેની સામે માત્ર 2 ફોરેસ્ટર ફરજ બજાવે છે. બીટ ગાર્ડની 8 જગ્યા છે જેની સામે માત્ર 2 બીટ ગાર્ડ ફરજ બજાવે છે.આમ ફોરેસ્ટનો સ્ટાફ ઓછો છે જેની સામે લાખો પક્ષીઓની સુરક્ષા કેવી રીતે કરવી એ ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીઓ માટે પણ મોટી મુશ્કેલી છે.