અમદાવાદ:ફી ઉઘરાણીને લઇને હજુ પણ શાળા સંચાલકોની દાદાગીરી યથાવત્ છે.ત્યારે અમદાવાદ નિકોલની વેદાંત સ્કૂલે ફી નિયમન કાયદાની ઐસી તૈસી કરીને વાલીઓ સામે દાદાગીરી કરી છે.વેદાંત સ્કૂલે નક્કિ કરેલી ફી ભરવાની ધમકીવાળો પત્ર વાલીઓને મોકલ્યો છે.
પત્રમાં વધુ ઉલ્લેખ કરાયો હતો કે AC મિનરલ વોટર હોમવર્ક માટેની એપ બંધ કરાશે.દરેક વર્ગખંડમાંથી સ્માર્ટ બોર્ડ કાઢી લેવાની પણ ધમકી આપી છે.સરકાર જો યોગ્ય ફી મંજૂર નહિ કરે તો વાલીઓ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે ફી વધારાને લઇને ગઇકાલે ગુજરાતના વાલી મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ.અને રાજ્યની મોટાભાગની શાળાઓ બંધ રહી હતી તો કેટલીક શાળાઓએ શિક્ષણ ચાલું રાખ્યું હતુ.