ગાંધીનગર:વિધાનસભાના બજેટ સત્ર પહેલા આગામી 23 જાન્યુઆરીના રાજ્યના ધારાસભ્યોના શપથવિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મળતી માહિતી પ્રમાણે 23 જાન્યુઆરીના સવારે 10 વાગ્યે રાજભવન ખાતે પ્રોટેમ સ્પીકરની વરણી કરવામાં આવશે..
જે બાદ બપોરના 12 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1માં તમામ ધારાસભ્યોની શપથવિધિનો કાર્યક્રમ યોજાશે.જ્યારે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે.જેમાં બજેટ સત્રના પહેલા જ દિવસે વિધાનસભાના સ્પીકરની વરણી કરવામાં આવશે.જે બાદ રાજ્યનું બજેટ રજૂ થશે.
વિધાનસભાનું બજેટ સત્ર આગામી 31 માર્ચ સુધી ચાલશે.આ દરમિયાન અનેક મુદ્દાઓ વિધાનસભામાં ચર્ચા થશે.તો અનેક મુદ્દાઓ પર વિરોધના વંટોળ પણ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જામ્યા બાદ ભાજપનો પાતળી બહુમતિ સાથે વિજય થતાં ગુજરાતમાં છઠ્ઠી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.સરકાર બન્યા બાદ આગામી 23 જાન્યુઆરીના રોજ ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષમાંથી જીતેલા ઉમેદવારો ધારાસભ્ય થવાનાં સપથ લેશે.