અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી મારૂતિનંદન હોટલમાં મારામારીની ઘટના સામે આવી છે.અસામાજીક તત્વોએ હોટલના કાચ તોડયા હતા અને હોટલના કર્મચારીઓને માર માર્યો હતો.અજાણ્યા શખ્સોએ લાકડી અને પથ્થર વડે હોટલના તમામ કાચ તોડીને આતંક મચાવ્યો હતો.આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગતરોજ હોટલ મારૂતિનંદન માલિકનો દિકરો જ્ઞાનજ્યોત ક્લાસમાં અભ્યાસાર્થે ગયો જેમાં ભણવાનું પુર્ણ કરી બંન્ને દિકરાઓ પરત ફરી રહ્યા હતા ત્યારે એક વાહન સાથે સામાન્ય અકસ્માત થયા બાદ બોલાચાલીની ઘટના બની હતી અને ત્યારબાદ બંન્ને વચ્ચે આ કિસ્સાનો અંત પણ આવ્યો હતો તેમ છતાં તે મોડી રાતે કેટલાક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.
બોપલની મારૂતિનંદન હોટલના કાચ તોડીને કેટલાક લોકોએ આતંક મચાવ્યો હતો અને નુકસાન પણ પહોંચાડેલ.આ ઘટનાની જાણ નજીકના પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ આદરી હતી.જો કે આ ઘટના સાથે જોડાયેલ તમામ સામે ગુનો નોંધીને આ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.