અમદાવાદ: શાહપુરના શંકરભવન પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. આગે વેગ પકડતા આજુ-બાજુના કેટલાક ઝુપડામાં પણ આગ લાગી ગઈ. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાને લીધે લોકોએ રાહતનો દમ લીધો છે. હાલ આગ પર સંપૂર્ણ નિયત્રંણ મેળવી લેવાયો છે.
મળતા માહિતી અનુસાર શાહપુરના શંકરભવન પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા પાસેના ઝુપડપટ્ટીમાં પણ આગ લાગી. ત્યારબાદ આગ પર કાબુ મેળવવા માટે 2 ફાયર ફાઈટર અને 8 પાણીના ટેંકરોનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસ દરમ્યાન ગેસ લિકેજ અથવા શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે. વધુ તપાસ માટે આ એફએસએલને આ અંગે જાણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગ અલગ શહેરોમાં રોજબરોજ આગ લાગવાના બનાવ વધતાં જાય છે. કોઇને કોઇ કારણોસર દરરોજ આગનો એક કિસ્સો બને છે. જેમાં આજે સવારે શહેરના શાહપુર વિસ્તારમાં પ્લાસ્ટિકની ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠી હતી.