અમદાવાદ: અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં આજે દલીતો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. દલિત નેતા એવા જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં આ રેલી કાઢવામાં આવી હતીશહેરમાં ખરાબ રોડ રસ્તા તેમજ પાણીના પ્રશ્નને લઈને બેનરો સાથે આ રેલી કાઢવામાં આવી હતી.બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પડેલ અતિશય વરસાદને પગલે અમદાવાદના કેટલાય રોડ તુટી ગયા છે. સાબરમતીમાં પાણી પણ પુરતી પ્રમાણ હોવા છતાં અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પીવાનું પાણી સમયસર ના મળતું હોવાની ફરીયોદો સ્થાનિક રહિશોએ અનેકવાર કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાથી દલિત નેતા જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ આજે રેલી નીકળી હતી.