ગુરૂવારે રાત્રે બાપુનગરના મોહનનગર રોડ પાસે બે રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમા રિક્ષા ચાલક અને પેસેન્જરોને સામાન્ય ઈજી પહોંચી હતી. જોકે આ બન્ને રિક્ષા ચાલકોની પહેલાથી કોઈ અદાવત ચાલતી હતી અને આ દરમ્યાન બન્ને રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ હતી અને આ ઘટના ઉગ્ર થતા અમિત નામના રિક્ષા ચાલકે બીજી રીક્ષા ચાલક સુરેશને ચપ્પુ માર્યુ હતુ.
તો બીજી તરફ સુરેશે પણ અમિત પર હથિયારથી હુમલો કર્યો હતો અને આ બન્ને ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે બન્નેને હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા.
જોકે ઈજાગ્રસ્તોમાંથી અમિતને હોસ્પિટલના તબીબોએ મૃત જાહરે કર્યો હતો. આ ઘટના સર્જાતા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે હવે પોલીસે બન્ને વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને સુરેશ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય ત્યારે તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.