અમદાવાદમાં વાણિજ્ય વિભાગ દ્વારા ગુરુવારે દરોડા પાડવામાં આવ્યા હતાં. રિલિફ રોડની ઇલેકટ્રોનિક્સની દુકાનો પર વાણિજ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.ત્યારે હવે દરોડાના કારણે આજે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવેલ.
આજે રિલિફ રોડ પર આવેલી તમામ ઈલેટ્રોનિસની દુકાનો બંધ રહી હતી.રિલિફ રોડની 500થી વધુ દુકાનો બંધ રહેશે.મહત્વનુ છે કે વાણિજ્ય વિભાગ દ્વારા 3 દુકાનો સીલ કરવામાં આવી હતી અને શંકાના આધારે વાણિજ્ય વિભાગે દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતાં.