ભરૂચ: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે અહેમદ પટેલ અંકલેશ્વર પહોચ્યા હતા. અહેમદ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની જીત નક્કી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રીના દાવેદાર નથી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુરતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવો તેવા પોસ્ટરો લાગ્યા હતા. જેને લઇ અહેમદ પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રીની રેસમાં નથી. હું સીએમ પદનો દાવેદાર નથી. વધુમાં આજે મતદાન છે ત્યારે તેમણે જીતની આશા વ્યક્ત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે.