પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના ગુજરાતમાં આગમન પહેલા નર્મદા અસરગ્રસ્તો ફરી ઉપવાસ આંદોલન પર બેઠા છે.સરદાર સરોવર પૂનઃવસવાટ એજન્સીના પ્રાંગણમાં ઉપવાસ પર બેઠા છે અસરગ્રસ્તો. સરકારે પોતાની માંગણીઓ સંતોષી નથી તેવો આક્ષેપ અસરગ્રસ્તોએ કર્યો છે.
અસરગ્રસ્તો 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીને રૂબરુ મળી રજૂઆત કરવા મક્કમ બન્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એક વર્ષ સુધી કેવડિયા કોલોની ખાતે અસરગ્રસ્તો ઉપવાસ પર બેઠા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી નર્મદા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા આવી રહ્યા છે ત્યારે નર્મદાના અસરગ્રસ્તો બેઠા છે.