રાજકોટની સેન્ટમેરી સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજકોટની સેન્ટમેરી સ્કૂલમાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. સ્કૂલમાં CBSCની મંજૂરી વિના વર્ગો ચલાવતા હોવાની માહિતી મળી છે. આ માહિતી મળતાં શિક્ષણ વિભાગે કડક પગલા લીધા છે. શિક્ષણ વિભાગે શાળા બંધના આદેશ આપ્યા છે.
શાળા દ્વારા વધુ એક વર્ગની મંજૂરી માંગતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વર્ગોની મંજૂરી વિના સેન્ટમેરી સ્કૂલમાં વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા. શાળા બંધ થતાં 180 વિધાર્થીઓનું ભાવિ અંધકારમય થઇ જશે. જો કે વાલીઓએ ધોરણ 6 થી 8ના વર્ગોની મંજૂરીની માંગ કરી છે. તેમનુપં કહેવું છે કે વર્ષ 2015માં સ્કૂલને વર્ગોની મંજૂરી મળી છે. CM વિજય રૂપાણી આ વાતમાં દખલગીરી કરે તેવી વાલીઓએ માગ કરી છે. ઉપરાંત ગુજરાત શિક્ષણ વિભાગ મંજૂરી આપે તેવી પણ માગ કરી છે.
આ બધા હોબાળા વચ્ચે હવે પ્રશ્ન એ છે કે શું ફરીથી વર્ગો શરૂ થઇ શકશે? શિક્ષણમંત્રી સમગ્ર મામલે લેશે કોઇ પગલાં? શું શિક્ષણમંત્રી વર્ગોની મંજૂરી આપશે. અત્યાર સુધી શા માટે ન લેવાયા પગલાં?
નોંધનીય છે કે રાજકોટની સેન્ટમેરી સ્કૂલ અવારનવાર કોઇના કોઇ વિવાદે સંપડાયેલી રહે છે. થોડજાક દિવસ અગાઉ ઘોરણ 6 થી 8 માટેની મંજૂરી ન મળતા હોબાળો મચી જવા પામ્યો હતો.