ગુરુગ્રામઃ રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલને આજે ખોલવામાં આવશે. પરંતુ આ સ્કૂલમાં હત્યાનો શિકાર થયેલા સાત વર્ષના માસૂમ પ્રદ્યુમ્ન ઠાકુરના પિતા વરુણ ચંદ ઠાકુરે CBI તપાસ ન થાય ત્યાં સુધી સ્કૂલ ખોલવામાં ન આવે તેવી માગણી કરી છે. પ્રદ્યુમ્નના પિતાએ આશંકા વ્યક્ત કરી છે કે સ્કૂલ ખુલ્યા બાદ હત્યાના પુરાવા અને ન્યાય સંબંધી તમામ પુરાવાનો નાશ થઈ શકે છે.
આથી જ્યાં સુધી CBIની ટીમ પ્રાથમિક તપાસ ન કરી લે ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. મહત્વનું છે કે 8 સપ્ટેમ્બરે પ્રદ્યુમ્નની ટોયલેટમાં ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે બસ કન્ડક્ટરની ધરપકડ કરી છે.