સુરતઃ સુરતમાં મધ્યપ્રદેશની દંપતીના દીક્ષાના મામલે પતિ બાદ પત્ની અનામિકાએ આજે દીક્ષા લીધી હતી. પતિના 3 દિવસની દીક્ષા બાદ અનામિકા રાઠોડની દીક્ષા વિધિવત રીતે કરવામાં આવી હતી. મુમુક્ષુ અનામિકા રાઠોડ નવદીક્ષિતા શ્રી અનાકાર શ્રીજી મસા તરીકે ઓળખાશે. દંપતીના 3 વર્ષના બાળક મામલે વિવાદ થતાં પત્નીએ દીક્ષા નહતી લીધી.અને પતિએ દીક્ષા લીધી હતી.
આ પહેલા જયારે દીકરીની માતા અનામિકા રાઠોડે અને 3 વર્ષની દીકરીને કારણે દીક્ષા નહોતી લીધી. અમદાવાદના એક રહીશે આ મામલે કલેકટરને તથા સીપીને અરજી કરીને માસૂમ બાળકીના બંધારણીય અધિકાર ભવિષ્યને લગતી કાનૂની કાર્યવાહી આ દંપતીએ પૂર્ણ કરી છે કે કેમ તેની તપાસ કરાવવા માંગ કરી હતી.
આ મામલે પોલીસ કમિશ્નર સતિષ શર્માની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં પરિવારના સભ્યો તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા. જે બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે આ દીક્ષાનો મધ્યપ્રદેશના નીમચમાં પણ વિરોધ ચાલી રહ્યો છે.