સુરતઃ નિખિલ સવાણીની ધમકીનો મામલે હાઇકોર્ટ સુરતે પોલીસના અધિકારીને આદેશ કર્યો હતો. 15 દિવસમાં તપાસના કાગળો સાથે હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે. ભાજપ છોડ્યા બાદ નિખિલ સવાણીને ધમકી મળી હતી. નિખિલે પોલીસને તપાસ માટે આરજી કરી હતી. કોઈ કાર્યવાહી ન થતા હાઇકોર્ટમાં અરજી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નિખિલે ભાજપ છોડ્યું હતું. ત્યાર બાદ ધમકી મળતા ચર્ચા જાગી હતી. ભાજપમાં જોડાયા પહેલા તે પાસનો કન્વીનર પદ પરથી રાજીનામું આપ્યું હતું. અંતે તેમણે ભાજપ પણ છોડ્યું હતું. ત્યારબાદ આ પ્રકારની ઘટના બનતા હાઇકોર્ટ દ્વારા સુરત પોલીસને તપાસના આદેશ કર્યા છે.