ઉમરપાડાના જંગલ વિસ્તારમાં આવેલ આંબાળી ગામમાં છેલ્લા 3 જીલ્લાના 4 તાલુકાના 115 ગામના આદિવાસીઓ છેલ્લા 17 વર્ષોથી જંગલ જમીનની માંગ કરી રહ્યા છે. જોકે સરકાર દ્વારા જમીન નહિ આપવામાં આવતા સોમવારે 3 જીલ્લાના આદિવાસીઓ અધિકૃત રીતે જંગલમાં પ્રવેશ કર્યો હતો.
મહત્વનુ છે કે આ ગામના રહેવાસીઓ દ્વારા 17 વર્ષોથી જંગલ જમીન મુદ્દે ગ્રામ પંચાયતથી લઈને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રજુઆત કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પગલા ન લેવામાં આવતા આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.
મહત્વનુ છે આ આદિવાસીઓના પરિવારજનો ઘણા વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા અને જંગલમાં કોલેરા જેવા રોગ ફાટી નિકળતા આદિવાસીઓને જંગલ છોડવુ પડયુ હતુ. ત્યાર બાદ આદિવાસીઓ દ્વારા પોતાની જમીનની માંગ કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતા આદિવસીઓએ જંગલમાં પ્રવેશ કર્યો હતો.