સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં મોડીરાત્રે વિધાર્થીઓની બસ પલટી મારી હતી. બસ પલટી મારતા વિધાર્થીઓને સામાન્ય ઇજા થઇ હતી. વીરપુરથી પ્રવાસ કરી પરત ફરતા બનાવ બન્યો હતો. કોંઢ ગામના ખાનગી શાળાના વિધાર્થીઓ હતા. સરાગામ નજીક આ બનાવ બન્યો હતો.
મળતી માહિતી અનુસાર બસમાં સવાર વિદ્યાર્થીઓને કોઇ મોટી ઇજા થવા પામી ન હતી. બસની પલટી મારી જતાં વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ થઇ હતી. આ બસ પ્રવાસ પરથી પરત ફરી રહી હતી. વીરપુરનો પ્રવાસ કરી કોંઢ ગામ આવી રહી હતી. ત્યારે સરાગામ નજીક બસ પલટી મારી ગઇ હતી.