પંચમહાલ: અમદાવાદ ઇન્દોર હાઇવે પર વોલ્વો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર સહિત કુલ 2 લોકોના મોત થયા છે. જયારે વોલ્વો બસના 6 મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગોધરાના ચંચેલાવ ગામ પાસેથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે પર વોલ્વો બસ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત અકસ્માત માં આઇસર ટ્રક ડ્રાયવર અને ક્લીનર એમ બે ના ઘટના સ્થળે જ મોત વોલ્વઓમાં સવાર 6 ઉપરાંત મુસાફરોને સામાન્ય ઇજા ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા.