વડોદરામાં એક બિનવારસી બાળકી મળી આવી છે. જો કે આ બાળકીને કોણ મૂકી ગયું છે તેનો હજુ સુધી કોઇ પત્તો મળ્યો નથી.
મળતી માહિતી અનુસાર વડોદરાના અટલાદાર પાસે આવેલા મંદિરના ઓટલા પરથી બાળકી મળી છે. કંબલ ઓઢીને અંદર બાળકી મંદિરના ઓટલા પરથી શાકભાજીના વેપારીને મળી આવી છે. શાકભાજી વેપારીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
આ બાળકી કોણ છે અને કોણ આ ફૂલ સમાન બાળકીને તડછોડીને જતું રહ્યું બાળકીના મા બાપ કોણ છે ક્યાં છે તે એક મોટો તપાસનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું સ્લોગન આપવામાં આવી રહ્યું છે. આવી ફૂલ સમાન બાળકની તડછોડીને એના મા બાપ ક્યાં ચાલ્યા જાય છે એની માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધી છે.