નવી દિલ્હી : પોતાની જ પુત્રી અને નોકરનાં કતલનાં આરોપમાં આશરે ચાર વર્ષ જેલમાં રહી ચુકેલા માતા - પિતા ડૉ. રાજેશ અને નૂપુર તલવાર આજ જેલમાંથી મુક્ત થઇ ચુક્યા છે. હાઇકોર્ટનાં આદેશની કોપી પહોંચ્યા બાદ સીબીઆઇ કોર્ટે મુક્ત કરવા માટેનો આદેશ આપ્યો. ત્યાર બાદ ડાસના જેલથી બંન્નેને મુક્ત કરવામાં આવ્યા. અલ્હાબાદ હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટનાં ચુકાદાને ફગાવી દેતા તલવાર દંપત્તીને આરૂષી - હેમરાજ મર્ડર કેસમાંથી મુક્ત કરી દીધા હતા. સીબીઆઇ કોર્ટે તેમને દોષીત ઠેરવતા ઉંમરકેદની સજા ફટકારી હતી.
ચાર વર્ષ બાદ ડાસના જેલમાંથી તલવાર દંપત્તીને મુક્ત કરવામાં આવ્યું. જો કે સૌથી મહત્વનું છે કે તલવાર દંપત્તીએ જેલમાં કેદીઓનું ફ્રીમાં ચેકઅપ કર્યું હતું. જો તે પૈસા લીધા હો તો 49500રૂપિયા હોય છે. તલવાર દંપત્તી કેદીઓનાં નિયમિત ચેકઅપ માટે જેલમાં આવતા રહેશે. કોર્ટ સોમવારનાં દિવસે બે દિવસની રજા બાદ ખુલી હતી.