નવી દિલ્હી: પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કરનાર આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. જો કે પાર્ટીએ ગુજરાતમાં 150 સીટો પર ચૂંટણી લડવાનું ખંડન કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે જાહેરાત કરી છે કે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે.. આ ઉમેદવારોના નામની પ્રથમ યાદી આજે જાહેર કરવામાં આવશે.
આજે દિલ્લીમાં રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પ્રદેશ AAPના આગેવાનોની બેઠક છે. જેમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે અને શક્ય છે કે નાની પ્રથમયાદી પણ જાહેર થઇ શકે છે. એટલું જ નહીં પરંતુ જે સીટ પર ભાજપનું વર્ચસ્વ નબળું હશે ત્યાંથી પોતાના ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ઉતારશે. જોકે આમ આદમી પાર્ટીનો આ નિર્ણય કોંગ્રેસની સાથે સાથે ભાજપ માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે.