ભારતના મોસ્ટ વોન્ટેડ ડૉન દાઉદ ઇબ્રાહિમનાં ઠેકાણાને લઇ પાકિસ્તાન એકવાર ફરી બેનકાબ થયું છે. પાકિસ્તાન હંમેશાથી મુંબઇ ધમાકામાં વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમનાં ઠેકાણાને લઇને ભારતને દાવાઓ નકારતું આવ્યું છે.
એક વાર ફરી એ વાતનો ખુલાસો થયો છે કે ડૉન દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાનમાં પોતાનું ઠેકાણું બનાવી રાખ્યું છે. ડૉન દાઉદે એક ચેનલ સાથે ફોન પર વાત કરતા પોતે કબુલ કર્યું છે કે તે હાલ કરાચીમાં રહે છે. આટલું જ નહીં દાઉદે એ પણ જણાવ્યું છે કે તેને હાર્ટ એટેક નથી આવ્યો અને ના તો ગૈંગરીન જેવી કોઇ બિમારી છે.
દાઉદે જણાવ્યું કે એક વાર તેનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. આ વર્ષે એક ટીવી ચેનલે દાઉદ સાથે ફોન પર વાત કરી હતી અને દાઉદ સાથે થયેલી વાતચીતનાં ઓડિયોની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવી. તપાસમાં અવાજ દાઉદ ઇબ્રાહિમનો હોવાનું જાણવા મળ્યું છે.
દાઉદ ઇબ્રાહિમ મામલે પાકિસ્તાનની ખુલી પોલ
કરાચીમાં છે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ
કરાચીમાં હોવાનું દાઉદે પોતે કબુલ કર્યું
પાકિસ્તાનનાં કરાચીમાં છે દાઉદનું ઠેકાણું
હાર્ટ અટેક અને અન્ય બિમારી ન હોવાનું પણ કબુલ કર્યું
બ્લડ પ્રેશર વધી ગયું હોવાનું દાઉદે કબુલ્યું
ખાનગી ચેનલ સાથે ફોન પર વાતચીતમાં દાઉદનું કબુલનામું