મહેસાણા: વડનગરની સબ જેલમા આરોપી મહિલાએ આપઘાત કરયો હોવાની માહિતી મળી છે. મહિલા આરોપીએ આપઘાત કર્યા હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર વિજયાબેન રાણા નામની મહિલાએ આપઘાત કર્યો છે. આ મહિલા ખેરાલુના ચાણસોલ ગામમાં પુત્ર સાથે મળી પુત્રવધુની હત્યાના કેસમા છેલ્લા એક માસથી જેલમા હતી. ત્યારે વડનગર જેલમાં વહેલી સવારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
જો કે આ આત્મહત્યા કયા કારણોસર કરી તે કારણ હજી અકબધ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.