અયોધ્યાની વિવાદિત જન્મભૂમિ પર ભગવાન રામનું મંદિર બનાવવું એ હવે શાખનો પ્રશ્ન બની ગયો છે. આટલો વર્ષો જૂનો વિવાદ જેને કોઈ ઉકેલી શક્યું નથી એને ઉકેલવા હવે શ્રી શ્રી રવિશંકર મધ્યસ્થી બન્યા છે. તેમણે મંદિરના વિવિધ પત્રક્ષકારો સાથે મુલાકાત કરી હતી. જોકે રામમંદિર મુદ્દે સમાધાનના તેમના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ખબર છે કે રામમંદિર બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને રૂપિયા કરોડો રૂપિયા અપાયા હોવાનો ખુલાસો થયો છે.
મંદિર વિવાદ ઉકેલવાના પ્રયાસોને ફટકો
રામમંદિર બનાવવા થયો રૂપિયાનો વેપાર
રામંદિર માટે સુન્નિ વકફ બોર્ડને અપાયા કરોડો રૂપિયા
સ્ટિંગ ઓપરેશનમાં થયો રામમંદિર પર સૌથી મોટો ખુલાસો
રામમંદિર વિવાદમાં મોટો ખુલાસો થયો છે જેણે રામ મંદિર વિવાદને ઉકેલવાના પ્રયાસોને મોટો ફટકો આપ્યો છે. વિવાદીત સ્થળ પર મંદિર બનાવવાને લઈને પ્રયાસો તેજ બન્યા છે. ક્યાંક બંધ બારણે તો ક્યાંક સાર્વજનિક રીતે બેઠકોનો દૌર યથાવત છે. આ દરમિયાન રામમંદિર બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને રૂપિયા અપાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
એક ખાનગી ચેનલના સ્ટિંગમાં આ વાત સામે આવી છે. જેમાં મંદિરના પક્ષકાર સંત દિનેદ્રદાસ દાસ મંદિરને બદલે રૂપિયાની ઓફર આપી રહ્યા છે. આ સ્ટિંગમાં મહંત કહી રહ્યા છે કે મંદિર માટે ઘણા લોકો સાથે વાત થઈ છે મંદિર ક્યાં બનાવવું તેને લઈને વાત થઈ છે. મહંતનો દાવો છે કે મંદિર બધાની ખુશીથી બનવું જોઈએ અને આ માટે 1 2 10 કે 20 કરોડ રૂપિયા અપાશે. સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષને રૂપિયા આપવાની વાત આ સ્ટિંગમાં થઈ રહી છે.
રામ મંદિર પર સૌથી મોટો ખુલાસો
અમે કહ્યું કે પહેલા તો પૂછવું પડશે. 1 કરોડ 2 કરોડ 10 કરોડ 20 કરોડ...જેમ એમની ખુશીથી મંદિર બની જાય. મળશે તો એક જ માણસને. બંનેને તો મળવાના નથી. બની જાય. એ પણ ખુશ રહે.
સવાલ :
કોને રૂપિયા આપવાના છે?
સુન્ની વકફ બોર્ડના માલિક છે એમ ને જ આપીશું
તો નિર્મોહી અખાડાના સંતોએ આ સ્ટિંગ મામલે ફેરવી તોળવ્યું છે. સંતોનું કહેવું છે કે રામમંદિર મુદ્દે નિર્મોહી અખાડા અને સુન્ની વ[ફ બોર્ડ વચ્ચે પેસાની કોઈ વાત નથી થઈ.
આ સ્ટિંગ ઓપરશને રામમંદિર વિવાદને વધુ ગૂંચવી નાખ્યો છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૌસીએ આ દાવાને ફગાવી દીધો છે.
આ તરફ અયોધ્યા પહોંચેલા શ્રી શ્રી રવિશંકરે વિવિધ પક્ષકારો સાથે મુલાકાત કરી છે. બુધવારે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી હતી. જોકે ઘણા હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો મધ્યસ્થી તરીકે શ્રી શ્રી રવિશંકરને સ્વીકારવા તૈયાર નથી. ત્યારે શ્રી શ્રી રવિશંકરે રામમંદિર મુદ્દે પરસ્પર સૌહાર્દતી લોકોને આગળ આવવા અપીલ કરી છે.
રામંદિરને લઈને કટિબદ્ધતા દર્શાવતા યોગી આદિત્યનાથ પણ શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થતાને લઈને ખાસ આશાવાદી નથી. યોગીએ કહ્યું કે રામમંદિર ખૂબ જુનો વિવાદ છે અને મધ્યસ્થી કરવા માટે હવે ખૂબ મોડું થઈ ચૂક્યું છે. આ છતાં જો કોઈ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરે તો તે આવકાર્ય છે. જોકે મંદિર મુદ્દેની વાટાઘાટો દરમિયાન બહાર આવેલ સ્ટિંગ ઓપરેશન શ્રી શ્રીના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે. સુન્ની વકફબોર્ડ પહેલા જ શ્રી શ્રી રવિશંકર સાથે વાટાઘાટો કરવાની ના પાડી દીધી છે. સુન્ની વકફ બોર્ડની દલીલ છે કે તેઓ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયને જ આખરી માનશે.