14 ડિસેમ્બર 1924 જન્મેલા રાજકપૂર ભારતીય ફિલ્મ જગતમાંઅભિનેતાનિર્માતા અને હિન્દી સિનેમાના નિર્દેશક તરીકે જાણીતા થયા હતા. તેમનો જન્મ પેશાવરમાં થયો હતો.
પંજાબી પરિવારમાં જન્મેલા રાજકપૂર 6 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. રાજ કપૂરે અનેક જાણીતી ફિલ્મો આપીઆ ફિલ્મોમાં અનેક સારા ગીતો આપ્યા તેમાં મેરા નામ જોકર ફિલ્મના સંવાદો અને ગીતો આજે પણ લોકહૈયે એક અલગ સ્થાન બનાવી બેઠા છે.મેરા નામ જોકરનું....जीना यहाँमरना यहाँ
इसके सिवा जाना कहाँ
जी चाहे जब हमको आवाज़ दो
हम हैं वहींहम थे जहाँ
अपने यही दोनों जहां
इसके सिवा जाना कहाँ આજે પણ નાનેરાથી લઈને મોટેરા સુધીના તમામના મુખે અચૂક સાંભળવા મળે છે.
1935 ની સાલમાં રાજકપૂરે માત્ર અગિયાર વર્ષની વયે પ્રથમ વાર ફિલ્મ ઇન્કલાબ માં કામ કરીને ચાહકોની દાદ મેળવી હતી. 1948માં માત્ર 24 વર્ષની ઉંમરે તેમણે આર.કે ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કરી નિર્માતાની ભૂમિકા ભજવી હતી.
તેમને નવ ફિલ્મફેર એવોર્ડ્સથી સન્માનવામાં આવ્યા હતા. રાજકપૂરે આવારાબૂટ પોલિશ જેવી અનેક યાદગાર ફિલ્મો આપી જેને લોકો આજે પણ યાદ કરે છે. આ બન્ને ફિલ્મને પલ્મે ડી'ઓર અને કેન્સ ફિલ્મ ઉત્સવમાં સારી એવી નામના મળી હતી.
તેમનું નિધન 1988માં 63 વર્ષની વયે અસ્થમાની બીમારીને કારણે થયું હતું .ભારત સરકારે તેમને 1971માં પદ્મ ભૂષણ અને 1987માં ભારતીય સિનેમા પ્રત્યેના તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા.2001માંતેઓને સ્ટારડસ્ટ પુરસ્કાર દ્વારા "મિલેનિયમના શ્રેષ્ઠ નિર્દેશક"થી સન્માનિત કરવામાં આવ્યા. 2002માં તેમને સ્ટાર સ્ક્રીન પુરસ્કાર દ્વારા "શોમેન ઓફ ધ મિલેનિયમ"ની ઉપાધિ આપવામાં આવીહતી.