મુંબઇ: ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામન નેતન્યાહૂ આ સમયે પોતાની છ દિનસની ભારતની યાત્રા પર છે. નેતન્યાહૂ આજે આગ્રામાં તાજની મુલાકાત કરશે. ત્યારબાદ એમને મુંબઇ પણ જવાનું છે. મુંબઉની યાત્રા એટલા માટે ખાસ છે કારણ કે મુંબઇ આતંકી હુમલામાં પોતાના મા-બાપને ગુમાવનાર બાળક મોશે પણ એમાં સામેલ થશે. મોશે મંગળવાર સવારે જ મુંબઇ પહોંચ્યો એ દરમિયાન ઇઝરાયલના અધિકારીઓએ એમનું સ્વાગત કર્યું. મુંબઇ પહોંચેલા મોશે અહીંયા મુંબઇ આવીને ખૂબ જ ખુશ છે મુંબઇ હવે પહેલા કરતાં વધારે સુરક્ષિત જગ્યા છે.
ગત વર્ષે મોદીએ પોતાની ઇઝરાયલ યાત્રા દરમિયાન આ બાળક મોશે સાથે મુલાકાત કરી હતી અને એને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોશે આ વખત ભારત આવ્યો છે અને 17 જાન્યુઆરીએ મુંબઇમાં ઇઝરાયલના પીએમ સાથે હાજર રહેશે. 18 જાન્યુઆરીએ પીએમ મોદી પીએમ નેતન્યાહૂની સાથે મોશે પણ ચાબાડ હાઉસની મુલાકાત કરશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં મુંબઇ હુમલો થયો એ દરમિયાન મુંબઇના નરીમન હાઉસમાં મોશેના પિતા રબ્બી ગેવરિઅલ અને માં રિવકા યહૂદી કેન્દ્રમાં મોજૂદ હતા. બંને આ હુમલામાં માર્યા ગયા હતા. એ સમયે મોશીની માં 6 મહિનાની પ્રેગનેન્ટ હતી. એ સમયે મોશે 2 વર્ષનો હતો અને પોતાના માતા-પિતાની લાશ પાસે બેસીને રોઇ રહ્યો હતો.