ભાવનગરઃ એક ૯ વર્ષની બાળા સાથે દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. શહેરના ડી.ડીવીઝન વિસ્તાર હેઠળ આવતા પુજાનગરમાં ગત તારીખ ૧૭ ના રોજ એક ૯ વર્ષની બાળા સાથે કોઈ ઇસમે તેને ફોસલાવી તે વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. પરિવારજનો દ્વારા આખરે આજે હિંમત દાખવી સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસમાં દોડધામ મચી હતી અને એસપી સહિતનો તમામ કાફલો ત્યાં દોડી ગયો હતો એ બનાવની તપાસ હાથ ધરી છે.
દેશ દુષ્કર્મની ઘટનાથી અનેકવાર શર્મશાર થઇ ચુક્યો છે. અનેક ઘટનાએ દેશને રડાવ્યા છે પરંતુ આવા બનાવો અટકવાનું નામ નથી લેતા. ભાવનગરમાં ગત તારીખ ૧૭ ના રોજ બની હતી. શહેરના ડી.ડીવીઝન વિસ્તાર હેઠળ આવતા પુજાનગર વિસ્તારમાં એક હવસખોર ઈન્સાને પોતાની હવસ બુઝાવવા ૯ વર્ષની બાળકીને પીખી નાખી હતી. પુજાનગર વિસ્તારમાં ઢાળ ઉપર એક હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં હાલ ચોમાસાના કારણે ભારે ઘાસ અને ઝાડ ઉગી નીકળ્યા છે. જેથી કોઈ હવસખોર શખ્સે ત્યાં રહેલી એક ૯ વર્ષની બાળકીને ફોસલાવી મંદિર નજીક લઇ જઈ તેને પીંખી નાખી હતી. આ બનાવ બાદ પરિવાર હેબતાઈ ગયો હતો અને સમાજ શું કહેશે તેના ડર થી બે દિવસ ચુપ બેસી રહ્યો હતો.
પરંતુ આખરે આ બનાવ અંગે પરિવારે હિમત કરી બનાવની જાણ પોલીસ મથકે જાણ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને એસપી-ડીવાયએસપી-સહિતનો પોલીસ કાફલો ડી-ડીવીઝન મથકે દોડી ગયો હતો. પરિવારજનો સાથે વાતચીત કરી તાકીદે બનાવ સ્થળે દોડી જઈ આ બનાવ અંગે ઝડપી તપાસ હાથ ધરી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તપાસમાં એલસીબી-એસઓજી તેમજ ડી.ડીવીઝન ની ટીમ કામે લાગી ગઈ છે. આસપાસના લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે તેમજ આ બનાવના નાસી છુટેલા આરોપી ને ઝડપી લેવા ચક્રોગતોમાન કર્યા છે.
ભાવનગરમાં બનેલી આ ઘટના એ ભારે ચકચાર મચાવી છે.૯ વર્ષની બાળાને પીંખી નાખનાર હવસખોર શખ્સને તાકીદે પોલીસ ઝડપી પડે અને કડકમાં કડક સજા થાય તે બાબતે કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે .