અમદાવાદઃ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર ખરાખરીનો જંગ.
ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાથે જ તમામ બુથો પર 1 લાખ 25 હજાર 271 કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
બીજા તબ્બકાની આ 93 બેઠકો પર 851 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં ભાજપના 93 અને કોંગ્રેસના 91 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ સિવાય પણ બસપાના 75 શિવસેનાના 17 NCPના 28 JD-Uના 14 અને આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે.
જ્યારે CPIMના 3 અને CPI JDSનો 1-1 ઉમેદવારો મેદાનમાં છે.મહત્વનું છેસૌથી વધું અપક્ષમાંથી 350 અને બીન માન્યતા પ્રાપ્ત પક્ષના 170 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જે ભાજપ અને કોંગ્રેસના મતો તોડી શકે છે.
મહત્વનું છે કેબીજા તબક્કાના મતદાન માટે આવતી કાલે 2.22 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ દ્વારા આ વખતે ચૂંટણીમાં દિવ્યાંગો માટે મતદાનની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ મતદાન મથકો પર રેમ્પની વ્યવસ્થા કરાઇ. તો બજી તરફ કાયોદો વ્યવસ્થાને ધ્યાને રાખતા રાજ્યભરમાંથી 51 હજાર 948 મંજૂરીવાળા હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
સાથે જ શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે પોલીસ વિભાગ અલર્ટ પર છે. તો 1.74 લાખ પોલીસ જવાનોને પણ સુપક્ષા બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. મહત્વનું છેઆવતી કાલે પ્રધાનમંત્રી મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવાના છે.
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે મહારાષ્ટ્રથી સીધા અમદાવાદ ખાતે મતદાન કરવા પહોંચશે.અને રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. આ સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી શાહપુરની હિન્દી શાળામાંભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં અને કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી વેજલપુરમાં મતદાન કરશે.