નવી દિલ્હીઃ દેશના 85 ટકા લોકો પોતાની સરકાર પર વિશ્વાસ રાખે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે મોટાભાગના ભારતીય સૈન્ય શાસન અને તાનાશાહીને પણ સમર્થન કરી રહ્યા છે. 38 જેવા દેશોમાં કરાવવામાં આવેલા આ સર્વેક્ષણ રીપોર્ટ પ્રમાણે ભારત જેવા દેશમાં જેનું સાત દશકોથી મજબૂત લોકતંત્રનો ઇતિહાસ છે ત્યાંના 55 ટકા લોકો કોઇના કોઇ રૂપે તાનાશાહીનું પણ સમર્થન કરે છે.
એક સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે. પ્યૂ રિસર્ચે પોતાના સર્વેક્ષણ રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં અર્થવ્યવસ્થા 2012થી 6.9 ટકાના દરે વધી રહી છે. ત્યાં 85 ટકાથી વધુ લોકો હજુ પણ પોતાની સરકાર પર વિશ્વાસ રાખે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે અડધાથી વધારે લોકો સૈન્ય શાસન અને તાનાશાહીનું પણ સમર્થન કરે છે.
સર્વે અનુસાર પોતાના મજબૂત લોકતાંત્રિક મુલ્યો માટે ઓળખાતા ભારતમાં 55 ટકા લોકો તાનાશાહીનું સમર્થન કરે છે. જેમાંથી 27 ટકા લોકો મજબૂત નેતા ઈચ્છે છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 48 ટકા લોકો રશિયન નાગરિકોએ મજબૂત નેતા કે શાસનનું સમર્થન કર્યું છે. વૈશ્વિક સ્તરે 26 ટકા લોકોએ એમ કહ્યું કે શાસન માટે એવી વ્યવસ્થા સારી રહેશે જેમાં મજબૂત નેતા સંસદ કે અદાલતની દખલ વિના નિર્ણય કરી શકે. સર્વેક્ષણમાં સામેલ 71 ટકા લોકોએ કહ્યું કે શાસન માટે તે યોગ્ય નથી.