મહેસાણાઃ બાળ સુરક્ષા એકમ દ્વારા હાથ ધરેલા સર્વેમાં ૫૪ જેટલા અનાથ બાળકોની સંખ્યા મળી આવી છે. આમ તો છેલ્લા દસ વર્ષથી જીલ્લામાં ૧૧૧ જેટલા અનાથ બાળકો સરકારી દફતરે નોધાયેલા છે. જીલ્લામાં ૧૧૧ અનાથ બાળકોની સંખ્યા સાથે વધુ ૫૪ અનાથ બાળકો મળી આવતા તંત્ર ચોકી ઉઠ્યું છે.
ત્યારે જીલ્લામાં અનાથ બાળકોની જનસંખ્યામાં ચોંકાવનાર થયેલા વધારાના પગલે વહીવટી તંત્રએ બાળકોને સહાય આપવા ખાસ બેઠક બોલાવી હતી. મહેસાણા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજના હેતલ તમામ ૧૬૫ અનાથ બાળકોને રૂપિયા ૩૦૦૦ સહાય ચુકવવામાં આવશે.
છેલ્લા ઘણાં વર્ષોથી ૧૧૧ બાળકોનું પાલન પોષણ કરનાર દંપતીને પાલક માતા-પિતા તરીકે દર માસે ૩૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવતી હતી. હવે વધુ ૫૪ બાળકોનો ઉમેરો થતા તમામ ૧૬૫ બાળકોનું પોષણ કરનાર માતા-પિતાને રૂપિયા ૩૦૦૦ સહાય ચુકવવામાં આવશે.